॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

નિરૂપણ

તા. ૧૧/૬/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજે વાત કરી, “મહારાજે કહ્યું – હું તો ભક્તનો ભક્ત છું. તે ખરેખરા ભક્ત કોને કહેવાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ હોય તો ખરા?”

ત્યારે પ્રશ્ન થયો, “ખરેખરા શું?”

સ્વામીશ્રી કહે, “તમારા દીકરાના પગ ધોઈ અમે પી જઈએ, એ ખરેખરા ભક્ત. એ પ્રમાણે ભગવાનના ભક્તનો મહિમા છે. ભગવાનના ભક્તનો જેને અભાવ આવ્યો છે તે મોટા હતા તો પણ પદવી થકી પડી ગયા છે. જે કંઈ રૂડું થાય છે, તે સેવાથી જ થાય છે. ભગવાન પગચંપી કરવાથી રાજી ન થાય. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા, એના શિષ્યને રાજી કરે તો રાજી થઈ જાય. માનત સ્વામી લોટો લઈને રાત્રે પાણી પાવા નીકળે. દરેકને પાય. ભક્તની સેવા કરે તે ભગવાનની થઈ ગઈ. ભક્તની સાથે રહે ને સેવા ન કરે તો ભગવાન રાજી ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૬]

June 11, 1962, Mumbai. During the afternoon discourse, Yogiji Mahārāj said, “Mahārāj has stated that he is a devotee of devotees. Who can be labeled a true devotee? Can one who possesses dharma, gnān, vairāgya and bhakti be called a true devotee?”

So, a question was asked, “Who is a true devotee?”

Swāmishri answered, “A true devotee is one who would wash the feet of your son and drink that water. Such is the glory of a devotee of God. People who have found faults with devotees of God have fallen from high levels. Whatever good occurs is due to the service of a devotee of God. God is not just pleased if someone merely massages his feet. To please Shāstriji Mahārāj, one would have to please his devotees. At night, Mānat Swāmi would go around with water for the thirsty. He would give it to everyone. By serving devotees, one serves God. God is not pleased if one remains in close contact with a devotee of God but does not serve him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/356]

નિરૂપણ

તા. ૧૭/૧/૧૯૬૩, ગોંડલ. યોગીજી મહારાજ સભામંડપમાં બિરાજી પત્રો લખી રહ્યા હતા. સામે કેટલાક જ્ઞાની હરિભક્તો પણ બેઠા હતા. એક હરિભક્તે કહ્યું, “મધ્યનું તેરમું વચનામૃત વાંચો.”

સ્વામીશ્રીએ પત્ર લખતાં ઊંચું જોઈને કહ્યું, “મધ્યનું ૨૮મું વચનામૃત વાંચો. તેમાં મુદ્દો આવે છે.” એમ કહી જાતે કહેવા લાગ્યા, “તે મુદ્દો તે શું જે, શ્રીજીમહારાજ સમજાવે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૩૦]

January 17, 1963, Gondal. Yogiji Mahārāj was writing letters in the assembly hall. Some knowledgeable devotees sat in front of him. One devotee suggested that Vachanāmrut Gadhadā II-13 be read.

While writing the letters, Swāmishri looked up slightly and said,“‘The main principle is in Vachanāmrut Gadhadā II-28; therefore, read that.” Thus saying, he continued, “What is that main principle? Shriji Mahārāj explains that the sole means to please God is to serve a devotee of God through thought, word and deed. The sole means of displeasing God is to malign his devotee.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/430]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase